મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આજે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે


SHARE













ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આજે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના માળિયા મિયાણા સ્ટેશન એ થી માળિયા મિયાણા સ્ટેશન બી વચ્ચે ડબલિંગની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ૨૫ માર્ચના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા માળિયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામ થઈને દોડશે. જેથી કરીને આ ટ્રેન મોરબી, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશને જશે નહીં જેથી કરીને આ સ્ટેશનના મુસાફરોને ટ્રેનના ફેરફારને ધ્યાનમાં લેવા અધિકારી જણાવ્યુ છે

'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરાઇ

રાજકોટ રેલવે ડિવિઝનમાં 'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને પ્રિન્સીપલ ચીફ મેડીકલ ડાયરેકટર, મુંબઈ ડો. છત્તરસિંહ આનંદના માર્ગદર્શન હેઠડ ચીફ મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ, રાજકોટ ડો. રાજકુમારની અધ્યક્ષતામાં ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, રાજકોટના તમામ ડોકટરો અને પેરા-મેડીકલ સ્ટાફ દ્વારા 'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડો.રાજકુમારે જણાવ્યું હતું કે "વિશ્વ ટીબી દિવસ" નો હેતુ લોકોને ટીબી વિશે જાગૃત કરવાની સાથે તેના નિવારણ માટે પ્રયત્નો કરવાનો છે. ટીબી માત્ર દર્દીના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરતું નથી, પરંતુ ટીબીની સામાજિક અને આર્થિક અસરો પણ ખતરનાક છે. ત્યાર બાદ રેલવે હોસ્પિટલના ડો.સમુદ્ર માને અને ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી એન.પદ્માચાએ હોસ્પિટલના મેડિકલ સ્ટાફને ટીબીના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તેની ઉપયોગી માહિતી આપી હતી.






Latest News