મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત


SHARE













હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત

હળવદના સુરવદર ગામે પાણીનો ટાંકો જર્જરિત છે. અને આ પાણીના ટાંકાને રીપેરીંગ કરવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજુઆત કરી છે તો પણ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ રાજયના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને નવો ટાંકો બનાવવાની માંગ કરેલ છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ મંત્રી કુંવરજી બાવળીયાને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સુરવદર ગામે આવેલ પાણીનો ટાંકો જર્જરીત છે અને તૂટી પડે તેમ છે. જેથી આ ટાંકો પડે અને કોઈ ઘટના બને તે પહેલા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે  અને ભવિષ્યમાં ગામમાં પાણીની અછત સજાર્ય તે પહેલા કામ કરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, સુરવદર ગામના સરપંચને સાથે રાખીને તેઓએ પાણીના ટાંકાની મુલાકાત લીધી હતી અને સમસ્યાનો તાગ મેળવ્યો હતો તેના આધારે હાલમાં તેઓએ રજૂઆત કરેલ છે 




Latest News