મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી એમડી ડોક્ટર સાથે ફરી શરૂ કરવામાં આવી


SHARE













મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી એમડી ડોક્ટર સાથે ફરી શરૂ કરવામાં આવી

મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવા ડેલા રોડ ખાતે વધુ એક શરૂ કરવામાં આવી છે ત્યારે આ સુવિધાનો જ્ઞાતિજનો તથા મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો લાભ લઈ શકે છે

હાલમાં કોરાનાનાં કેઇસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તેવા સમયે તા. ૧/૪ થી નવા ડેલા રોડ ઉપર આવેલ મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે અને જ્ઞાતિની જનરલ મિટિંગમાં તેની જાહેરાત કરવામાં આવી છે અને એમ.ડી. ડોક્ટર ડિસ્પેનસરીમાં નિયમિત સેવા આપવા માટે આવશે જેમાં મોરબીની સત્યમ હોસ્પિટલના બે એમ.ડી. ડોકટરો અઠવાડિયામાં એક વખત આવશે અને દર્દીઓના દર્દનું નિદાન કરશે ત્યારે દર મંગળવારે સાંજે ૪ થી ૫ ડો.પુનિત પડસુંબિયા (એમ.ડી. જેરીયા ટ્રિક ફિઝિશયન) કે જે મોટી ઉમરે થતા રોગોના નિષ્ણાંત છે જેઓ શારીરિક નબળાઈ, ચક્કર આવવા, ડાયાબિટિસ, બી.પી, લકવો,પેશાબ કિડની, પેટની જૂની કબજિયાત, કંપવા, માનસિક બીમારી, ભૂલવાની બીમારીઓની સારવાર અને નિદાન કરશે તેમજ દર શુક્રવારે સાંજે ૪ થી ૫ સુધી ડો.ધર્મેશ ભાલોડિયા (એમ.ડી. મેડીસીન) કે, જે હદય ફેફસાં, સુગર, બી.પી, થાઇરોઇડ, જૂના તાવ, ઇન્ફેક્શન, પેટ લીવરના રોગો, લોહીના રોગો, મગજની બીમારી વગેરેના નિષ્ણાંત નિદાન કરશે અને જ્ઞાતિજનો માટે આ સેવા ટોકન ચાર્જ રૂપિયા ૫૦ થી રાખવામા આવી છે અને અન્ય દર્દીઓ માટે ૧૦૦ રૂપિયા ચાર્જ રાખવામા આવેલ છે અને નિયત કરેલા બે દિવસ સિવાયના દિવસે કોઈ જ્ઞાતિજનને સત્યમ હોસ્પિટલમાં બતાવવા જવું હોઈ તો ડિસ્પેનસરીમાંથી કેઇસ કઢાવી ત્યાં બતાવવા જઈ શકશે તેવું ડિસ્પેન્સરીના સંચાલકોએ જણાવ્યુ છે






Latest News