મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી એમડી ડોક્ટર સાથે ફરી શરૂ કરવામાં આવી


SHARE







મોરબીમાં ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી એમડી ડોક્ટર સાથે ફરી શરૂ કરવામાં આવી

મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવા ડેલા રોડ ખાતે વધુ એક શરૂ કરવામાં આવી છે ત્યારે આ સુવિધાનો જ્ઞાતિજનો તથા મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો લાભ લઈ શકે છે

હાલમાં કોરાનાનાં કેઇસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તેવા સમયે તા. ૧/૪ થી નવા ડેલા રોડ ઉપર આવેલ મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે અને જ્ઞાતિની જનરલ મિટિંગમાં તેની જાહેરાત કરવામાં આવી છે અને એમ.ડી. ડોક્ટર ડિસ્પેનસરીમાં નિયમિત સેવા આપવા માટે આવશે જેમાં મોરબીની સત્યમ હોસ્પિટલના બે એમ.ડી. ડોકટરો અઠવાડિયામાં એક વખત આવશે અને દર્દીઓના દર્દનું નિદાન કરશે ત્યારે દર મંગળવારે સાંજે ૪ થી ૫ ડો.પુનિત પડસુંબિયા (એમ.ડી. જેરીયા ટ્રિક ફિઝિશયન) કે જે મોટી ઉમરે થતા રોગોના નિષ્ણાંત છે જેઓ શારીરિક નબળાઈ, ચક્કર આવવા, ડાયાબિટિસ, બી.પી, લકવો,પેશાબ કિડની, પેટની જૂની કબજિયાત, કંપવા, માનસિક બીમારી, ભૂલવાની બીમારીઓની સારવાર અને નિદાન કરશે તેમજ દર શુક્રવારે સાંજે ૪ થી ૫ સુધી ડો.ધર્મેશ ભાલોડિયા (એમ.ડી. મેડીસીન) કે, જે હદય ફેફસાં, સુગર, બી.પી, થાઇરોઇડ, જૂના તાવ, ઇન્ફેક્શન, પેટ લીવરના રોગો, લોહીના રોગો, મગજની બીમારી વગેરેના નિષ્ણાંત નિદાન કરશે અને જ્ઞાતિજનો માટે આ સેવા ટોકન ચાર્જ રૂપિયા ૫૦ થી રાખવામા આવી છે અને અન્ય દર્દીઓ માટે ૧૦૦ રૂપિયા ચાર્જ રાખવામા આવેલ છે અને નિયત કરેલા બે દિવસ સિવાયના દિવસે કોઈ જ્ઞાતિજનને સત્યમ હોસ્પિટલમાં બતાવવા જવું હોઈ તો ડિસ્પેનસરીમાંથી કેઇસ કઢાવી ત્યાં બતાવવા જઈ શકશે તેવું ડિસ્પેન્સરીના સંચાલકોએ જણાવ્યુ છે






Latest News