મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના સહયોગથી રામનવમીની શોભાયાત્રા સફળ બની


SHARE







મોરબી-વાંકાનેરમાં દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના સહયોગથી રામનવમીની શોભાયાત્રા સફળ બની

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમ થયા હતા અને એક કાર્યક્રમ પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું જેમાં અંદાજીત ૮૦ લોકો જોડાયા હતા. ત્યારે વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ મિયાત્રા અને સુરેન્દ્રનગરના વિભાગના બજરંગદળના સંયોજક કમલભાઈ દવે તથા મોરબી વિહીપની જિલ્લા ટીમ પણ સહભાગી થઇ હતી. અને સાંજે ૬ કલાકે મિલપરા ચોકમાં ૧૫૦ જેટલા રામભકત જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિહીપ વાંકાનેર અધ્યક્ષ ઘનશ્યામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને મોરબીમાં સનાતન હિન્દૂ સમાજ આયોજીત રામનવમીની શોભાયાત્રામા મોરબીના સનાતની હિંદુ ધર્મ પ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા તે બદલ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તેમજ શોભાયાત્રાને સફળ બનાવવા માટે દરેક જ્ઞાતિ સમાજ અને સંગઠન દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવ્યો હતો જેનાથી આ સમગ્ર કાર્યક્રમ સફળ થયો છે તેવું મોરબી વિશ્વ હિન્દૂ પરિષદના આગેવાનોએ જણાવ્યુ છે






Latest News