ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના સહયોગથી રામનવમીની શોભાયાત્રા સફળ બની


SHARE













મોરબી-વાંકાનેરમાં દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના સહયોગથી રામનવમીની શોભાયાત્રા સફળ બની

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમ થયા હતા અને એક કાર્યક્રમ પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું જેમાં અંદાજીત ૮૦ લોકો જોડાયા હતા. ત્યારે વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ મિયાત્રા અને સુરેન્દ્રનગરના વિભાગના બજરંગદળના સંયોજક કમલભાઈ દવે તથા મોરબી વિહીપની જિલ્લા ટીમ પણ સહભાગી થઇ હતી. અને સાંજે ૬ કલાકે મિલપરા ચોકમાં ૧૫૦ જેટલા રામભકત જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિહીપ વાંકાનેર અધ્યક્ષ ઘનશ્યામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને મોરબીમાં સનાતન હિન્દૂ સમાજ આયોજીત રામનવમીની શોભાયાત્રામા મોરબીના સનાતની હિંદુ ધર્મ પ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા તે બદલ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તેમજ શોભાયાત્રાને સફળ બનાવવા માટે દરેક જ્ઞાતિ સમાજ અને સંગઠન દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવ્યો હતો જેનાથી આ સમગ્ર કાર્યક્રમ સફળ થયો છે તેવું મોરબી વિશ્વ હિન્દૂ પરિષદના આગેવાનોએ જણાવ્યુ છે






Latest News