મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના સહયોગથી રામનવમીની શોભાયાત્રા સફળ બની


SHARE













મોરબી-વાંકાનેરમાં દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના સહયોગથી રામનવમીની શોભાયાત્રા સફળ બની

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમ થયા હતા અને એક કાર્યક્રમ પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું જેમાં અંદાજીત ૮૦ લોકો જોડાયા હતા. ત્યારે વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ મિયાત્રા અને સુરેન્દ્રનગરના વિભાગના બજરંગદળના સંયોજક કમલભાઈ દવે તથા મોરબી વિહીપની જિલ્લા ટીમ પણ સહભાગી થઇ હતી. અને સાંજે ૬ કલાકે મિલપરા ચોકમાં ૧૫૦ જેટલા રામભકત જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિહીપ વાંકાનેર અધ્યક્ષ ઘનશ્યામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને મોરબીમાં સનાતન હિન્દૂ સમાજ આયોજીત રામનવમીની શોભાયાત્રામા મોરબીના સનાતની હિંદુ ધર્મ પ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા તે બદલ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તેમજ શોભાયાત્રાને સફળ બનાવવા માટે દરેક જ્ઞાતિ સમાજ અને સંગઠન દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવ્યો હતો જેનાથી આ સમગ્ર કાર્યક્રમ સફળ થયો છે તેવું મોરબી વિશ્વ હિન્દૂ પરિષદના આગેવાનોએ જણાવ્યુ છે






Latest News