હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE













મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઉપર આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવતા ઘરધણી સહિત પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેની પાસેથી રોકડા ૭૧,૩૦૦ તેમજ અન્ય મુદામાલ સહિત ૪,૮૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને પોલીસ આગળની કાર્યવાહી કરી હતી

ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાલીદખાન રફિકખાનને મળેલ હકિકત આધારે ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭)ના બંગ્લોઝ નં બી-૪૪ વાળામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં ઘરધણી પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭) રહે. ઇડન હિલ્સ બંગ્લોઝ નં-૪૪ મોરબી, રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા જાતે પટેલ (૬૦) રહે. હરીહર નગર રવાપર રોડ મોરબી, હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૭૧) રહે. એંટીલા હિલ્સ લીલાપર રોડ મોરબી, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા જાતે પટેલ (૫૮) રહે. ઉમા ટાઉનશીપ મોરબી અને ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા જાતે પટેલ (૬૨) રહે. રવાપર ચોકડી સુંદરમ એપાર્ટમેંટ મોરબી વાળાનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે રોકડા ૭૧,૩૦૦ તથા વાહન અને મોબાઇલ મળીને કુલ ૪,૮૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે આ કામગીરી પીએસઆઈ એચ.આર. હેરભાની સૂચના મુજબ સિધ્ધરાજસિહ અર્જુનસિહ ઝાલા, ખાલીદખાન રફિકખાન, શૈલેશભાઈ ઓધવજીભાઈ ફેફર, સાગરભાઈ ડાયાલાલ કુરીયાએ કરી હતી






Latest News