મોરબી જિલ્લામાં ટુ અને ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે અરજી કરી શકાશે
મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઇ
મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમેતે સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત કોળી સમાજ દ્વારા સમાજના ધર્મ ગુરુ વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમેતે મોરબીમાં આજે શોભાયાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ જડેશ્વર મંદિરથી શરૂ કરવામાં આવી હતી અને નેહરુગેટ થઈને મોરબીના સામાકાંઠે આવેલ ચુંવાળીયા કોળી સમાજની બોડિંગે પૂર્ણ કરવામાં આવી હતી ત્યાં સમાજના લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમાજના તમામ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ અજયભાઈ લાભુભાઈ વાઘાણી, વિપુલભાઈ રમેશભાઈ ગણેશીયા, ગુજરાત પ્રદેશ ચુંવાળીયા કોળી સમાજના સહમંત્રી જગદીશભાઈ જી. બાંભણીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ ધોઘાભાઈ સુરેલા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી