માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ દબાણ કરી લેવામાં આવેલ છે તેને દૂર કરવા માટે હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ જે રરજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે અગાઉ પાલિકા મેળાનું આયોજન કરતી હતી જો કે, છેલ્લા વર્ષથી તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને સ્મશાન જવાના રસ્તા ઉપર આડેધડ બાંધકામો કરીને દબાણ કરી લેવામાં આવેલ છે જેથી કરીને મોરબીના વીસીફાટકથી લઈને સ્મશાન સુધીના રસ્તા ઉપર જેટલા પણ ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે તેને દૂર કરવાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ત્યાં દારૂ, જૂગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેતી હોય છે તો પણ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી જેથી સ્મશાનની હદની માપણી કરીને જેટલા પણ દબાણ હોય તેને દૂર કરવામાં આવે તેમજ સ્મશાનનું રીનોવેશન કરીને ત્યાં ગેસ આધારિત સ્મશાન બનાવવા માંગ કરી છે






Latest News