જય હનુમાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલનું ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ દબાણ કરી લેવામાં આવેલ છે તેને દૂર કરવા માટે હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ જે રરજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે અગાઉ પાલિકા મેળાનું આયોજન કરતી હતી જો કે, છેલ્લા વર્ષથી તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને સ્મશાન જવાના રસ્તા ઉપર આડેધડ બાંધકામો કરીને દબાણ કરી લેવામાં આવેલ છે જેથી કરીને મોરબીના વીસીફાટકથી લઈને સ્મશાન સુધીના રસ્તા ઉપર જેટલા પણ ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે તેને દૂર કરવાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ત્યાં દારૂ, જૂગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેતી હોય છે તો પણ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી જેથી સ્મશાનની હદની માપણી કરીને જેટલા પણ દબાણ હોય તેને દૂર કરવામાં આવે તેમજ સ્મશાનનું રીનોવેશન કરીને ત્યાં ગેસ આધારિત સ્મશાન બનાવવા માંગ કરી છે