જય હનુમાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલનું ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
SHARE
જય હનુમાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલનું ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
મોરબીના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં હનુમાન જયંતીના દિવસે નવયુગ શૈક્ષણિક સંકૂલના ૩૫૦૦ વિધાર્થીઓએ હનુમાનજીની ફોટો કોપી ઉપર રામનામ લખ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા જે રામ નામ લખવામાં આવેલ છે તેને અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્યમાં મોકલાવવામાં આવશે અને આ રામ નામના પત્રો લખવાથી ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નવયુગ શૈક્ષણિક સંકૂલનું નામ નોંધાવ્યું છે વધુમાં માહિતી આપતા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાજીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતુત્વ હેઠળ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે ત્યારે આ નિર્માણ કાર્યમાં સહયોગ આપવાની ભાવના સાથે હનુમાન જયંતિના દિવસે વિદ્યાર્થીઓએ ભગવાન રામના પત્રો લખ્યા છે જેથી કરીને સંસ્થાનું નામ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ધ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે માટે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફને અભિનંદન આપ્યા હતા અને નવયુગ ગ્રુપ દ્વારા રામ નામના પત્રો અયોધ્યા મોકલાશે તેવું પણ કહ્યું છે.