મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃત એએસઆઈને બેઝબોલનો ધોકા વડે માર મારનાર આરોપીની ધરપકડ


SHARE















મોરબીમાં નિવૃત એએસઆઈને બેઝબોલનો ધોકા વડે માર મારનાર આરોપીની ધરપકડ

મોરબીમાં લાલબાગ પાસે મંદિરના ગ્રાઉન્ડમાં બેઠેલ નિવૃત એએસઆઈને અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને એક શખ્સે બેઝબોલના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી નિવૃત્ત પોલીસ કર્મચારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિવૃત એએસઆઈ વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલા જાતે દરબાર (૬૧) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, લાલબાગ પાસે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં બેઠા હતા ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને નવ મહિના પહેલા મારા બાપુજી અને ભાઈ સાથે ઝઘડો કેમ કર્યો હતો તેવું કહીને બોલાચાલી કરી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા તેના હાથમાં રહેલ બેઝબોલના ધોકા વડે નિવૃત પોલીસ કર્મચારીને માથા અને જમણા હાથે માર માર્યો હતો જેથી નિવૃત પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા (૨૬) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મારામારીમાં ઇજા
મોરબીના માળિયા ફાટક ચોકડીથી આગળના ભાગમાં આવેલ કાવેરી સીરામીક પાસે શક્તિનગર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અજય મીઠુંભાઈ પરમાર (૩૧) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી મારામારીના બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુમનબેન હસમુખભાઈ પાટડીયા અને હસમુખભાઈ ખોળજીભાઈ પાટડીયાને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને બંનેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં અશરફ ઈસ્માઈલભાઈ (૪૧) રહે, સરસ્વતી સોસાયટી ભાયાવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News