મોરબી જીલ્લામાં કોરોનાના શુક્રવારે ૨૩ પોઝીટીવ કેસ: ૩૪ ને ડિસ્ચાર્જ
SHARE
મોરબી જીલ્લામાં કોરોનાના શુક્રવારે ૨૩ પોઝીટીવ કેસ: ૩૪ ને ડિસ્ચાર્જ
મોરબી જીલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી શુક્રવારે મોરબી જીલ્લામાં કોરોનાના ૨૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે જેથી આજની તારીખે જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૨૯ થયેલ છે
હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૧૨૩ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં છેલ્લા દિવસથી સતત વધી રહી છે જો કે, લોકો હવે તેને ગંભીરતાથી લેતા નથી તે પણ હક્કિત છે તેવામાં શુક્રવારે મોરબી તાલુકામાં ૧૭, મોરબી શહેર ૨, વાંકાનેર શહેરમાં ૩ અને ટંકારા તાલુકામાં ૧ કુલ મળીને ૨૩ કેસ નોંધાયા છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા દિવસોમાં જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો તેમાંથી સફળ સારવાર મળી જતાં ૩૪ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે