મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ઓગળી ગયેલ ગુલ્ફી આપનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમાર્યો


SHARE







માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ઓગળી ગયેલ ગુલ્ફી આપનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમાર્યો

માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં આવેલ દુકાને ગુલ્ફી લેવા ગયેલા બાળકને ઓગળી ગયેલ ગુલ્ફી આપી હતી જેથી તેના કૌટુંબિક દાદા દુકાનદારને તે બાબતે કહેવા માટે ગયા હતા જે તેને સારું નહીં લાગતા દુકાનદાર અને તેના ભાઈઓએ ફરિયાદી તેમજ તેના દાદા સહિત ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે આવેલ શક્તિ પ્લોટમાં રહેતા અનિલભાઈ જાદવજીભાઈ અગેચાણીયા જાતે કોળી (૨૮) એ અરવિંદભાઈ નારણભાઈ, ઓધવજીભાઈ નારણભાઈ અને મુન્નાભાઈ નારણભાઈ રહે. બધા જૂના ઘાટીલા શક્તિ પ્લોટ માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કૌટુંબિક ભાઈનો દીકરો અરવિંદભાઈની દુકાને ગુલ્ફી લેવા માટે ગયો હતો ત્યારે અરવિંદભાઈનો દીકરો ત્યાં બેઠો હોય તેને ઓગળી ગયેલ ગુલ્ફી તેને આપી હતી જેથી ફરિયાદીના કૌટુંબિક દાદા ચંદુભાઈ ગાંડુભાઈ તે બાબતે આરોપી અરવિંદભાઈને સમજાવવા માટે ગયા હતા ત્યારે દુકાનદાર અને તેના ભાઈ ઓધવજીભાઈ તથા મુન્નાભાઈએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને બોલાચાલી કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલ અરવિંદભાઈએ તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને હાથમાં અને કેડના ભાગે માર માર્યો હતો ત્યારે છનાભાઈ વચ્ચે છોડાવવા માટે પડતા તેને ઓધવજીભાઈએ લોખંડના પાઇપ વડે જમણા પગમાં માર મારીને ઇજા કરી હતી અને મુન્નાભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ભોગ બનેલા અનિલભાઈ અગેચાણિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી અરવિંદભાઈ, ઓધવજીભાઈ અને મુન્નાભાઈની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News