મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું


SHARE













મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭/૯/૨૦૦૧ ના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે રાજ્ય તલાટી મહામંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં કારોબારીમાં સર્વાનુમતે નક્કી કરીને ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા. ૭/૯/ ૨૦૨૧ ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ હતા છતાં આજ સુધીમાં પ્રશ્નો નહિ ઉકેલાતા આજે મોરબી જિલ્લા તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ બી.જે. બોરસાણીયાની આગેવાનીમાં કલેક્ટર, ડીડીઓ,ધારાસભ્યોએ અને સાંસદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓના પડતર પ્રશ્નો બાબતે સરકારમાં દ્વારા હકારાત્મક નિરાકરકણ લાવવા ભલામણ થાય તેવી લાગણી અને માંગણી કરેલ છે અને જો પ્રશ્નો ઉકેલાશે નહીં તો આગામી સમયમાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમો કરવામાં આવશે તેમાં મોરબી જીલ્લા તમામ તલાટી કમ મંત્રી જોડાવવાના છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News