વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે બે યુવાનોને માર મારનારા ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ


SHARE













મોરબીના ઘૂટું ગામે બે યુવાનોને માર મારનારા ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ

મોરબીના ઘુટુ ગામે ઘર નજીક શેરીમાં ઉભેલા યુવાન અને તેના મિત્રને પ્રવીણ સાથે મિત્રતા ન રાખવાનું કહીને બેફામ ગાળો આપવામાં આવી હતી અને ત્રણ શખ્સો દ્વારા લાકડી વડે તે બંનેને માર મારવામાં આવ્યો હતો ત્યાર બાદ ભોગ બનેલા યુવાને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે દાડમાદાદાના મંદિરની પાછળના ભાગમાં રહેતો સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયા (૨૩) તેના રહેણાંક મકાન પાસે તેના મિત્ર નરેશભાઈ સાથે શેરીમાં ઉભા હતા ત્યારે ત્યાં આરોપી રવિ પરસોતમ માનેવાડીયા, રવિભાઈ અશોકભાઈ વરાણીયા અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા આવ્યા હતા અને પ્રવીણની સાથે મિત્રતા ન રાખતા તેવું કહીને બંનેને બેફામ ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપી રવિ પરસોતમ માનેવાડીયા (૨૧) રહે. મહેન્દ્રનગર, રવિભાઈ અશોકભાઈ વરાણીયા (૨૪) રહે. ત્રાજપર અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે

ફિનાઈલ પી જતા સગીરા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતી આશિયાના ગુલામ શબ્બીર માલાણી નામની તેર વર્ષીય સગીરા તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા વિપુલભાઈ ફુલચરીયાએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે આશિયાનાબેને ભૂલથી ફિનાઈલ પી લીધું હતું.






Latest News