માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે બે યુવાનોને માર મારનારા ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ


SHARE











મોરબીના ઘૂટું ગામે બે યુવાનોને માર મારનારા ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ

મોરબીના ઘુટુ ગામે ઘર નજીક શેરીમાં ઉભેલા યુવાન અને તેના મિત્રને પ્રવીણ સાથે મિત્રતા ન રાખવાનું કહીને બેફામ ગાળો આપવામાં આવી હતી અને ત્રણ શખ્સો દ્વારા લાકડી વડે તે બંનેને માર મારવામાં આવ્યો હતો ત્યાર બાદ ભોગ બનેલા યુવાને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે દાડમાદાદાના મંદિરની પાછળના ભાગમાં રહેતો સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયા (૨૩) તેના રહેણાંક મકાન પાસે તેના મિત્ર નરેશભાઈ સાથે શેરીમાં ઉભા હતા ત્યારે ત્યાં આરોપી રવિ પરસોતમ માનેવાડીયા, રવિભાઈ અશોકભાઈ વરાણીયા અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા આવ્યા હતા અને પ્રવીણની સાથે મિત્રતા ન રાખતા તેવું કહીને બંનેને બેફામ ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપી રવિ પરસોતમ માનેવાડીયા (૨૧) રહે. મહેન્દ્રનગર, રવિભાઈ અશોકભાઈ વરાણીયા (૨૪) રહે. ત્રાજપર અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે

ફિનાઈલ પી જતા સગીરા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતી આશિયાના ગુલામ શબ્બીર માલાણી નામની તેર વર્ષીય સગીરા તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા વિપુલભાઈ ફુલચરીયાએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે આશિયાનાબેને ભૂલથી ફિનાઈલ પી લીધું હતું.






Latest News