વાંકાનેર સિવિલના દારૂની મહેફિલ કાંડમાં વિભાગીય નિયામકે સરકારમાં કર્યો ધગધગતો રિપોર્ટ
મોરબીના શનાળા રોડે દર્શન બંગલોઝમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબીના શનાળા રોડે દર્શન બંગલોઝમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી પાસે દર્શન બંગલોઝમાં રહેતા અને દસ્તાવેજની કામ કરતાં યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી પાસે દર્શન બંગલોઝમાં રહેતા આંબારામભાઈ ગાંભવાના દીકરા રવિ અંબારામભાઈ ગાંભવા (૨૩)એ પોતાના ઘરની અંદર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેની બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ફૂલતરિયા કરી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક યુવાન નવા બસ સ્ટેશન પાસે તેની ઓફિસે દસ્તાવેજ લખવાની કામગીરી કરતો હતો અને તેને પોતાના ઘરમાં કોઈ કારણોસર આપઘાત કરી લીધેલ છે જો કે, કયા કારણોસર તેને અંતિમ પગલું ભરેલ છે તેની કોઈ માહિતી સામે આવી નથી