Morbi Today
માળીયા (મી) ના રાસંગપર ગામે રામજી મંદિરનો પાટોત્સવ-રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
માળીયા (મી) ના રાસંગપર ગામે રામજી મંદિરનો પાટોત્સવ-રક્તદાન કેમ્પ યોજાયો
માળીયા (મી) ના રાસંગપર ગામે આવેલ રામજી મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે રાસંગપર ગામ ધુવાણા બંધ જમણવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેંકના સ્ટાફ દ્વારા હાજર રહીને રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જરૂરી મદદ કરવામાં આવી હતી અને આ રક્તદાન કેમ્પમાં ગામના કુલ મળીને ૭૦ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવ્યું હોવાનું આયોજક પાસેથી જાણવા મળેલ છે









