મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના વીરપર ગામે સ્કોર્પિયોમાં આવી ખેડૂત કાકા-ભત્રીજાને ધોકા ફટકાર્યા બાદ હવામાં ફાયરિંગ કરનાર ચાર સામે ગુનો નોંધાયો


SHARE















મોરબીના વીરપર ગામે સ્કોર્પિયોમાં આવી ખેડૂત કાકા-ભત્રીજાને ધોકા ફટકાર્યા બાદ હવામાં ફાયરિંગ કરનાર ચાર સામે ગુનો નોંધાયો

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ દેવપાર્ક વિસ્તારમાં રહેતા શામજીભાઈ પીતાંબરભાઈ નકુમ નામના ૫૦ વર્ષીય આધેડ તથા તેમના ભત્રીજા ચુનીલાલ પરસોતમ નકુમ (ઉંમર ૩૫) બંને ગઈકાલે ચારેક વાગ્યે તેઓની ઘુનડા રોડ ઉપર વીરપર ગામની સીમમાં આવેલ વાડીએ હતા ત્યારે ત્યાં કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા ચાર-પાંચ અજાણ્યા લોકોએ તેઓને ધોકા વડે માર માર્યો હતો અને બાદમાં બંધુક વડે હવામાં ફાયરિંગ કર્યું હતું અને "આ જમીન અમારી છે ખાલી કરી નાખજો" તેવી દમદાટી મારી હતી તેમ જણાવતા બંને ઇજાગ્રસ્ત કાક-ભત્રીજાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવામાં લાવવામાં આવ્યા હતા અને બનાવોટ અંગે એ ડિવિઝન પોલીસને હોસ્પીટલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને બનાવ ટંકારાની હદનો હોય હાલ ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરેલ છે.

જે અંગે વધુમાં મળતી માહિતી મુજબ વિરપરના મેરૂભાઈ રામજીભાઈ ભુંભરીયા (રબારી) કાળા રંગની સ્કોર્પીયોએ પણ નંબર પ્લેટ વગરની..! માં તેની સાથે ત્રણેક અજાણ્યા શખ્સોની સાથે ઘસી જઇને "આ જમીન અમારી છે" કહી મોરબીના સથવારા કાકા ભત્રીજાને લાકડી-ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ભોગ બનનાર ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ અને  કાકા શામજીભાઈ નકુમને ઈજા પહોંચી હોય ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ તેઓ દ્રારા હુનો નોંધાવાતા ટંકારા પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ જાતે સતવારા (૩૫) રહે.યોગેશ્વર સોસાયટી રવાપર રોડ મોરબીએ જણાવ્યું હતું કે ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલી સર્વે નંબર ૨૦૪ પૈકી ૧-૨ તેમના પરિવારના સંયુક્ત ખાતે આવેલી છે જેમા ગઈ કાલે વાડીએ ફરીના પિતા અને કાકા શામજીભાઈ કામ કરી રહ્યા હતા ત્યારે બપોરે ભાતું લઈ પોતે ગયા હતા અને રોકાઈ કામમાં જોતરાયા હતા ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યે વિરપરના મેરૂભાઈ રામજીભાઈ ભુંભરીયા (રબારી) કાળા રંગની સ્કોર્પીયો નંબર પ્લેટ વગરનીમા તેની સાથે ત્રણેક અજાણ્યા શખ્સો સાથે આવ્યો હતો અને આ જમીન અમારી છે તમે કા આવો છો..? કહીને ફરીયાદી ચુનીલાલને તેમના કાકા શામજીભાઇને લાકડી વડે પગના ભાગે માર મારવા લાગ્યા હતા ત્યારે ફરીયાદીના પિતા પરશોતમભાઇ નકુમે બુમરાણ મચાવી હતી જેથી હુમલાખોરો ત્યાંથી નાશી ગયા હતા અને જતા હતા ત્યારે જો આ જમીનમાં આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ફરિયાદ ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ અને તેના કાકા શામજીભાઈ નકુમને ઈજા પહોંચી હોય સંબધીને ટેલિફોનિક જાણ કરી ૧૦૮ મારફત મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ટંકારા પોલીસે આઈપીસી કલમ ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ મેરૂભાઈ રબારી અને અન્ય ત્રણ અજાણ્યા લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે ફરિયાદની અંદર હવામાં કરવામાં આવેલ ફાયરિંગનો છેદ ઉડી ગયો હતો.






Latest News