લખનૌના યોજાનર સંમેલનમાં મોરબીના વિપુલભાઈ શુક્લ પંચાંગ-તિથિ પર્વ મુદે આપશે માર્ગદર્શન
મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ-અરૂણોદયનગરના ગરબી ચોક પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ
SHARE
મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ-અરૂણોદયનગરના ગરબી ચોક પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ
મોરબી શહેરના દરેક વિસ્તારમાં ખુટિયાઓની સમસ્યા વધી ગયેલ છે અને ગમે ત્યારે આ રઝડતા ખૂંટીયા યુદ્ધે ચડતા હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઇ જાય છે ત્યારે નગરપાલિકા દ્વારા જો રઝડતા ઢોરને પકડવા માટેની કામગીરીમાં ઝડપ નહિ લાવે તો આગામી સમયમાં રાહદારી કે અન્ય લોકો માટે આ રઝડતા ઢોર જીવલેણ બની શકે છે ગઇકાલે મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ જ્ઞાનપથ સ્કૂલ પાસે અને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગરના ગરબી ચોક પાસે તેમજ રવાપર રોડ બાપસીતારામ ચોક પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ મચી ગયેલ હતી અને સ્કૂલ પાસે તેમજ લોકોએ પોતાના ઘર પાસે પાર્ક કરેલ વાહનમાં યુદ્ધે ચડેલા ખૂંટીયા અથડાતાં લોકોના વાહનોમાં નુકશાન થયું હતું જો કે, સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી પરંતુ કોઈ નિર્દોષ લોકો આ રઝડતા ઢોરની ઝપટે ચડે તે પહેલા પાલિકા દ્વારા લોકોની સલામતી માટે રસ્તા ઉપર રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.









