મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

લખનૌના યોજાનર સંમેલનમાં મોરબીના વિપુલભાઈ શુક્લ પંચાંગ-તિથિ પર્વ મુદે આપશે માર્ગદર્શન


SHARE













લખનૌના યોજાનર સંમેલનમાં મોરબીના વિપુલભાઈ શુક્લ પંચાંગ-તિથિ પર્વ મુદે આપશે માર્ગદર્શન

ઉત્તર પ્રદેશના લખનૌમાં આગામી તા.૨૩  એપ્રિલના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રૂદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી જાણીતા જ્યોતિષ સહિતના હાજર રહેવાના છે ત્યારે મોરબીના રહેતા શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લ (એમ.એ. સંસ્કૃત આચાર્ય) ને તે કાર્યક્રમમાં અતિથિ તરીકે હાજરી આપશે અને વિશેષ મુદાઓને લઈને માર્ગદર્શન પણ આપશે

મોરબીમાં રહેતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાનરા સંમેલનમાં વૈદિક પંચાંગોનું એકીકરણ તથા તિથિ પર્વ સહિતના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરશે. અને આ જ્યોતિષ સંમેલનમાં બ્રિજેશ પાઠક (ઉપમુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ), કૌશલ કિશોર (કેન્દ્રીય મંત્રી), વિજયકુમાર (કુલપતિ, મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈન), મહા મંડલેશ્વર મદન વ્યાશજી ઉજ્જૈન, ડો. અજય ભાંભીજી દિલ્હી, ડો, પંકજકુમાર ત્રિવેદી લખનઉ વિગેરે વિદ્વાન આચાર્યો હાજર રહેશે ત્યારે મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લને પણ ત્યાં હાજર રહેવાનો અને પોતાની વાત રાખવા માટેનો મોકો આપવામાં આવ્યો છે તે મોરબી જિલ્લા માટે ગર્વની વાત છે






Latest News