મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

લખનૌના યોજાનર સંમેલનમાં મોરબીના વિપુલભાઈ શુક્લ પંચાંગ-તિથિ પર્વ મુદે આપશે માર્ગદર્શન


SHARE









લખનૌના યોજાનર સંમેલનમાં મોરબીના વિપુલભાઈ શુક્લ પંચાંગ-તિથિ પર્વ મુદે આપશે માર્ગદર્શન

ઉત્તર પ્રદેશના લખનૌમાં આગામી તા.૨૩  એપ્રિલના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રૂદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી જાણીતા જ્યોતિષ સહિતના હાજર રહેવાના છે ત્યારે મોરબીના રહેતા શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લ (એમ.એ. સંસ્કૃત આચાર્ય) ને તે કાર્યક્રમમાં અતિથિ તરીકે હાજરી આપશે અને વિશેષ મુદાઓને લઈને માર્ગદર્શન પણ આપશે

મોરબીમાં રહેતા શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાનરા સંમેલનમાં વૈદિક પંચાંગોનું એકીકરણ તથા તિથિ પર્વ સહિતના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરશે. અને આ જ્યોતિષ સંમેલનમાં બ્રિજેશ પાઠક (ઉપમુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ), કૌશલ કિશોર (કેન્દ્રીય મંત્રી), વિજયકુમાર (કુલપતિ, મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈન), મહા મંડલેશ્વર મદન વ્યાશજી ઉજ્જૈન, ડો. અજય ભાંભીજી દિલ્હી, ડો, પંકજકુમાર ત્રિવેદી લખનઉ વિગેરે વિદ્વાન આચાર્યો હાજર રહેશે ત્યારે મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લને પણ ત્યાં હાજર રહેવાનો અને પોતાની વાત રાખવા માટેનો મોકો આપવામાં આવ્યો છે તે મોરબી જિલ્લા માટે ગર્વની વાત છે






Latest News