મોરબીમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પક્ષી માટે માટીના કુંડાનું વિતરણ
SHARE
મોરબીમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પક્ષી માટે માટીના કુંડાનું વિતરણ
મોરબીમાં શનાળા રોડ ઉપર ચિત્રા હનુમાનજી મંદિર ખાતે કાળજાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા માટીના પાણીના પરબીયાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૭૦૦ થી વધુ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય જીવદયા કાર્યમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ સાથે મંડળના તમામ સભ્યો હાજર રહેલ હતા જેમાં ભીખાભાઈ લોરિયા, હરખજીભાઈ સુવારિયા, ચંદુભાઈ કડિવાર, પ્રાણજીવનભાઈ રંગપડિયા સહિત અનેક સભ્યો તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો અમરસિભાઈ, નાનજીભાઈ, કેશુભાઈ, પી.એ. કાલરીયા, રમેશભાઈ રૂપાલા, સહિતના હાજર રહ્યા હતા આ તમામ વડીલોને ટોબરીયા હનુમાનજી મંદિર ગૌશાળાના પ્રમુખ સેવક હરખજીભાઈ તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેવું સંસ્થાના પ્રમુખ ટી.સી. ફુલતરિયાએ જણાવ્યુ છે.