માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો


SHARE













ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જેમાં મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦) એ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ધાર વાડી તરીકે ઓળખાય છે તે વાડીએ કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી દુર્ગંધ આવતા આ અંગેની જાણ સ્થાનિક લોકોએ ટંકારા પોલીસને કરી હતી જેથી તાત્કાલિક પોલીસે અને મામલતદાર ત્યાં આવ્યા હતા અને મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢીને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતી દરમ્યાન મૃતક વ્યક્તિને માથામાં કોઈ ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોવાનું હાલમાં સામે આવ્યું છે જેથી કરીને પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે અમે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ કરવામાં આવી રહી છે.






Latest News