મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો


SHARE













ટંકારાના વાઘગઢ પાસેથી મળેલ કોહવાયેલ લાશમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરીને લાશ દાટી દેવાઇ હોવાનું ખૂલ્યું : હત્યાનો ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જેમાં મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦) એ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની ધાર વાડી તરીકે ઓળખાય છે તે વાડીએ કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી દુર્ગંધ આવતા આ અંગેની જાણ સ્થાનિક લોકોએ ટંકારા પોલીસને કરી હતી જેથી તાત્કાલિક પોલીસે અને મામલતદાર ત્યાં આવ્યા હતા અને મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢીને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતી દરમ્યાન મૃતક વ્યક્તિને માથામાં કોઈ ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોવાનું હાલમાં સામે આવ્યું છે જેથી કરીને પોલીસે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે અમે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ કરવામાં આવી રહી છે.






Latest News