મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો જાહેર હિસાબ સમિતિમાં સમાવેશ
મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન
SHARE
મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન
મોરબી તાલુકાનાં જોધપર (નદી)ગામે આવેલ બાપા સીતારામ મંદિરના લાભાર્થે સંતાવાણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ આ સંતાવાણીનો કાર્યક્રમ યોજાશે. હાલમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના જોધપર (નદી) ગામે પટેલ સમાજની વાડી પાસે આવેલ બાપા સીતારામ મંદિર ખાતે મંદિરના લાભાર્થે સ્વ. ભુદરભાઈ સવજીભાઈ બરાસરાના પરિવાર દ્વારા સંતાવાણી નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે સંતવાણી યોજાશે જેમાં ભજનિક કલાકાર સેજલબેન ગોંડલીયા, વાસુદેવભાઈ પટેલ, ઉસ્તાદ સુરેશભાઈ પટેલ ગ્રુપ વાવડી વાળા જમાવટ કરશે આ સંતવાણીનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.