મોરબીની પેપર મિલમાં લાગેલ આગમાં ૧૭૦૦ ટન પેપર વેસ્ટ બળીને ખાખ
SHARE
મોરબીની પેપર મિલમાં લાગેલ આગમાં ૧૭૦૦ ટન પેપર વેસ્ટ બળીને ખાખ
મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ સોમનાથ પેપર મિલમાં ત્રણ દિવસ પહેલા આગ લાગી હતી અને ૨૪ કલાક સુધી પાણીનો મારો કરવામાં આવ્યો ત્યારે આગ કાબુમાં આવી હતી જો કે, આગ લાગવાની આ ઘટનામાં પેપરમીલના કમ્પાઉન્ડમાં પડેલ ૪૦૦ જેટલી પેપર વેસ્ટની ગાંસડીઓ આગની જપેટમાં આવી ગઈ હતી જેથી કરીને તે તમામ બળીને ખાખ થઈ ગઈ હતી જેથી હાલમાં આ બનાવ અંગે કારખાનેદાર હિરેનભાઈ મગનભાઈ અગોલા (૪૦) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે અને વધુમાં તેમને જણાવ્યું છે કે કુલ મળીને ૧૭૦૦ ટન વેસ્ટ પેપરનો જથ્થો આ આગ લાગવાના કારણે બળીનો ખાખ થઈ ગયો છે જેથી કરીને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેથી ચલાવી રહ્યા છે









