માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં પિતાની હત્યા કરનારા દીકરાને પોલીસે જેલ હવાલે કર્યો


SHARE













ટંકારા તાલુકામાં પિતાની હત્યા કરનારા દીકરાને પોલીસે જેલ હવાલે કર્યો

ટંકારા તાલુકામાં આવતા વાઘગઢ ગામે પિતાની હત્યા કરીને દીકરાએ તેની લાશને જમીનમાં દાટી દીધી હતી જો કે, જનવારોએ લાશને બહાર કાઢતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આ ગુનામાં પોલીસે મૃતકના દીકરાની ધરપકડ કરી હતી અને હાલમાં તે આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામ આવેલ વાડીની બાજુમાં જમીનમાં દાટી દેવામાં આવેલ પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધેલ હાલતમાં મળી આવી હતી જેની તપાસમાં મૃતક વ્યક્તિ હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા (૬૨) હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની બોડીનું ફોરેન્સિક પીએમ કરાવતા મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને મૃતક વ્યક્તિ જેની વાડીએ કામ કરતો હતો તે વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે અને આ ગુનામાં મૃતકના દીકરા પપ્પુ હીરાભાઈ ડાવરાએ જ હત્યા કરી હોવાની સામે આવતા ટંકારા પોલીસે તેની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે આરોપીને કોર્ટના હુકમ મુજબ મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News