મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કેરાળાના નાલા પાસેથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જણા કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભોરણીયા શેરી પ્રતાપ રોડ ઉપર રહેતા ઈરફાનભાઈ યુનુસભાઈ હેરંજા જાતે પીંજારા મુસલમાન (૪૦) પોતાનું એકટીવા નંબર જીજે ૩ ઇકે ૦૦૭૪ લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર કેરાળા ગામના પાસે આવેલ નાલા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગત તા. ૧૮/૪ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર એકટીવા સહિત ઈરફાનભાઈ હેરંજા નાલ નીચે પડ્યા હતા અને ત્યારે નાલા નીચે ભરેલા પાણીમાં ખાડામાં મોઢાનો ભાગ પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવની ગઈકાલે સ્થાનિક લોકોને જાણ થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી ગયેલ હતી અને કહોવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી હોવાથી તેને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈ મુસ્તાકભાઈ યુનુસભાઈ હેરંજા (૪૫) રહે. ભોરણીયા શેરી પ્રતાપ રોડ વાંકાનેર વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News