ટંકારા તાલુકામાં પિતાની હત્યા કરનારા દીકરાને પોલીસે જેલ હવાલે કર્યો
વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત
વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કેરાળાના નાલા પાસેથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જણા કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભોરણીયા શેરી પ્રતાપ રોડ ઉપર રહેતા ઈરફાનભાઈ યુનુસભાઈ હેરંજા જાતે પીંજારા મુસલમાન (૪૦) પોતાનું એકટીવા નંબર જીજે ૩ ઇકે ૦૦૭૪ લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર કેરાળા ગામના પાસે આવેલ નાલા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગત તા. ૧૮/૪ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર એકટીવા સહિત ઈરફાનભાઈ હેરંજા નાલ નીચે પડ્યા હતા અને ત્યારે નાલા નીચે ભરેલા પાણીમાં ખાડામાં મોઢાનો ભાગ પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવની ગઈકાલે સ્થાનિક લોકોને જાણ થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી ગયેલ હતી અને કહોવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી હોવાથી તેને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈ મુસ્તાકભાઈ યુનુસભાઈ હેરંજા (૪૫) રહે. ભોરણીયા શેરી પ્રતાપ રોડ વાંકાનેર વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે