મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









વાંકાનેરના કેરાળા પાસે અકસ્માત બાદ પાણીના નાલામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કેરાળાના નાલા પાસેથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જણા કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભોરણીયા શેરી પ્રતાપ રોડ ઉપર રહેતા ઈરફાનભાઈ યુનુસભાઈ હેરંજા જાતે પીંજારા મુસલમાન (૪૦) પોતાનું એકટીવા નંબર જીજે ૩ ઇકે ૦૦૭૪ લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર કેરાળા ગામના પાસે આવેલ નાલા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગત તા. ૧૮/૪ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર એકટીવા સહિત ઈરફાનભાઈ હેરંજા નાલ નીચે પડ્યા હતા અને ત્યારે નાલા નીચે ભરેલા પાણીમાં ખાડામાં મોઢાનો ભાગ પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવની ગઈકાલે સ્થાનિક લોકોને જાણ થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી ગયેલ હતી અને કહોવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી હોવાથી તેને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈ મુસ્તાકભાઈ યુનુસભાઈ હેરંજા (૪૫) રહે. ભોરણીયા શેરી પ્રતાપ રોડ વાંકાનેર વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News