મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા સુજલ ભટ્ટને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ


SHARE









મોરબીમાં રહેતા સુજલ ભટ્ટને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ

મોરબીના બેલા ગામ પાસે આવેલ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના ખોખરા હનુમાન આશ્રમમાં સંસ્કૃત પાઠશાળા આવેલ છે તેમાં અભ્યાસ કરતાં સુજલ પરેશભાઈ ભટ્ટ નામના વિદ્યાર્થીને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ એટલુ જ નહિ તે શ્લોકને સ્પષ્ટ સંસ્કૃતમાં ઉચ્ચારો સાથે આરોહ અવરોહમાં લય સાથે બોલે છે એટ્લે કે ૭૦૦ શ્લોક ચડતા કે ઉતરતા ક્રમમાં બોલી શકે છે

૨૦૨૩માં ધો. ૧૨ની સંસ્કૃત માધ્યમમાં પરીક્ષા આપનાર સુજલ પરેશભાઈ ભટ્ટ જે સુરત ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં શાસ્ત્રો કંઠસ્થ વિભાગમાં ભાગ લીધેલ હતો જેમાં તેનો સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવેલ હતો. આ સ્પર્ધામાં અન્ય વિભાગો પણ હતા. હાલમાં સુજલ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના ખોખરા હનુમાન આશ્રમમાં આવેલ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરે છે તેની આ પ્રતિભાને પ્રેરણા આપવામાં સંસ્કૃત પાઠશાળાના ગુરુજીની મહત્વની ભૂમિકા છે. અત્રે ઉલેખનીય છે કે, સુજલને સંસ્કૃતિ અને શાસ્ત્રો પર ગૌરવ છે આજના તેના જેવડા યુવાનો ફેશન અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ત્યારે સુજલ શાસ્ત્રો, સંસ્કૃતિની વાતો કરે છે અને સૌથી વધારે આશ્ચર્યએ વાતનું થાય કે સુજલ ભારતીય પ્રાચીન પરંપરાને જીવંત રાખતા પોષક ધોતી અને ઝભ્ભો પહેરે છે અને તેનું તેને ગૌરવ છે. અને કનકેશ્વરી દેવીજીના માર્ગદર્શન હેઠળ તેમની સંસ્કૃત પાઠશાળા ભારતીય સંસ્કૃતિને ખુબ ફેલાવશે અને સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી જે વિધાર્થી પ્રતિભા ખીલશે તે નુતન ભારતની રચના કરશે જેમાં દેવભાષા સંસ્કૃત અને આપણા જે શસ્ત્રો અગ્રેજો,અમેરિકાનો, જર્મનો અભ્યાસ કરીને અવનવી શોધો કરે છે તે ભારતમાં થશે અને વિશ્વની એક માત્ર જીવિત પ્રાચીન સંસ્કૃતિ પુનઃ જાગૃત થઇ સમગ્ર વિશ્વ પર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે નુતન વિશ્વની રચના કરશે. તેમ સંજયભાઈ વિરડીયાની યાદીમાં જણાવાયું છે.






Latest News