મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી


SHARE









ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તારીખ  ૨૩ને રવિવારે ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરથી રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય મોરબી જીલ્લામાં આવેલ છે અને ત્યારે તેઓએ ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી.

ચૂંટણીપંચ દ્વારા તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તા ૨૩/૪/૨૦૨૩  ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રવિવારે તમામ મતદાન મથકોએ બૂથ લેવલ અધિકારીઓ દ્વારા નામ નોંધણી, નામ સુધારા-વધારા તેમજ નામ કમી કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવશે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે સી.ઈ.ઓ. ઓફિસ ગાંધીનગરના રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય સાથે ડેપ્યુટી કલેકટર પરમાર, ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા ૬૬-ટંકારા વિ.સ.મ.વિ.નાં ટંકારા તાલુકાનાં બુથ નં ૧૫૩-ટંકારા-૨ કુમાર તાલુકા પ્રાથમીક શાળા તથા ૧૬૦-ટંકારા-૯ એમ.પી.દોશી હાઈસ્કૂલ ખાતે મતદાન મથકોની મુલાકાત કરેલ હતી. 

જેમા બીએલઑ પાસેથી મતદારયાદી સંદર્ભે સુચનો લેવામાં આવ્યા હતા અને રોલ ઓબ્ઝર્વર દ્વારા ફોર્મ નં-૬.૭ તથા ૮ ની ચકાસણી કરેલ હતી તેમજ ડુપ્લીકેટ નામો તથા ઈપીક ફોટો બાબતે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ હતી અને કાયમી સ્થાંળાતર તથા મૃત્યુના કિસ્સામાં ફોર્મ નં-૭ ભરવાની સુચના આપવામાં આવી હતી ઉપરાંત આગામી તારીખ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ હક્ક-દાવા સ્વીકારવા માટેનો છેલ્લો દિવસ હોઈ ટંકારા તાલુકાના તમામ નાગરિકોને લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી.






Latest News