મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે દવા છાંટતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત


SHARE













 

મોરબીના નારણકા ગામે દવા છાંટતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના નારણકા ગામે ખેતરમાં દવા છાંટવાની કામગીરી દરમિયાન યુવાને ઝેરી અસર થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નારણકા ગામે ખેતરમાં દવા છાંટવાની કામગીરી ચાલુ હતી ત્યારે નાનજીભાઈ અન્યાભાઈ દાણા (ઉમર ૨૫) ખેતરમાં દવા છાંટવાનું કામ કરી રહ્યા હતા અને તેને ઝેરી અસર થવાથી મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે યુવાનને સારવાર કારગત ન નિવડતા નાનજીભાઈ દાણાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે

ઝેરી અસર

માળીયા(મી) તાલુકાના કુંતાસી ગામે રહેતા સંજયભાઈ ભોપા અને તેના પત્ની અસ્મિતાબેન ભોપા (૨૫) પોતાના ખેતરની અંદર ગઇકાલે સવારે આઠેક વાગ્યે દવાનો છંટકાવ કરવા માટે ગયા હતા અને કામગીરી પૂરી કરીને ૧૧ વાગ્યે બન્ને ઘરે પરત આવ્યા હતા અને ત્યારબાદ અસ્મિતાબેને તેના પતિ સંદીપભાઈને કહ્યું હતું કે "મને ઝેરી દવાની અસર થઇ હોય તેવું લાગી રહ્યું છે" જેથી કરીને તેઓને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News