મોરબીના આલાપ પાર્ક પાસે રોડ ઉપરના દબાણ-વરસાદી પાણીના નિકાલ માટે કલેકટરને રજુઆત
વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે
SHARE
વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે
મોરબીના દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય સમાજના જરુરિયાતમંદ પરિવાર માટે તા. ૩/૫ ને બુધવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી વાંકાનેરમાં આવેલ ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક ખાતે નિ:શુલ્ક આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહેશે અને આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ૨૦૨૨ પછીનો મામલતદાર કચેરીનો આવકનો દાખલો, રેશનકાર્ડ તેમજ આધારકાર્ડ સાથે રાખવા આયોજકોએ જણાવ્યુ છે.