મોરબીના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાની કોંગ્રેસની ચીમકી: કલેક્ટરને આપશે આવેદનપત્ર
SHARE
મોરબીના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાની કોંગ્રેસની ચીમકી: કલેક્ટરને આપશે આવેદનપત્ર
મોરબીમાં તા.૨૭/૪/૨૦૨૩ ગુરુવારના રોજ નવા બસ સ્ટેન્ડનુ નવુ બિલ્ડીંગ લોકો માટે બનાવવામાં આવ્યું છે જેનું કામ પૂરું થઈ ગયું છે તો પણ તેણે કાર્યરત કરવામાં આવ્યું નથી જેથી કરીને તેણે ખુલ્લુ મૂકવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડનુ નવુ બિલ્ડીંગ ઘણા સમયથી બની ગયેલ છે. તાજેતરમાં મુખ્યમંત્રી મોરબીમાં આવ્યા હતા તો પણ તેણે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને આ નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન માટે કોની રાહ જોવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ છે ત્યારે ઉનાળાની ગરમીમા ખૂલ્લા તડકામા મુશાફરો શેકાઈ રહ્યાં છે અને શાસકો કે સરકાર પાસે નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે સમય નથી તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉદ્દઘાટન કરી આ અવ્યવસ્થાને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે અને મોરબી જિલ્લાની પ્રજાની હાલાકી દુર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને તા ૨૭ ના રોજ ૧૧ કલાકે આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો, આગેવાનો, દરેક ફન્ટલ અને સેલના હોદ્દેદારો તથા સર્વ કાર્યકરોએ હાજર રહશે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુએ માહિતી આપતા જણાવ્યુ છે