મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાની કોંગ્રેસની ચીમકી: કલેક્ટરને આપશે આવેદનપત્ર 


SHARE







મોરબીના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાની કોંગ્રેસની ચીમકી: કલેક્ટરને આપશે આવેદનપત્ર 

મોરબીમાં તા.૨૭/૪/૨૦૨૩ ગુરુવારના રોજ નવા બસ સ્ટેન્ડનુ નવુ બિલ્ડીંગ લોકો માટે બનાવવામાં આવ્યું છે જેનું કામ પૂરું થઈ ગયું છે તો પણ તેણે કાર્યરત કરવામાં આવ્યું નથી જેથી કરીને તેણે ખુલ્લુ મૂકવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડનુ નવુ બિલ્ડીંગ ઘણા સમયથી બની ગયેલ છે. તાજેતરમાં મુખ્યમંત્રી મોરબીમાં આવ્યા હતા તો પણ તેણે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને આ નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન માટે કોની રાહ જોવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ છે ત્યારે ઉનાળાની ગરમીમા ખૂલ્લા તડકામા મુશાફરો શેકાઈ રહ્યાં છે અને શાસકો કે સરકાર પાસે નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે સમય નથી તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉદ્દઘાટન કરી આ અવ્યવસ્થાને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે અને મોરબી જિલ્લાની પ્રજાની હાલાકી દુર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને તા ૨૭ ના રોજ ૧૧ કલાકે આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો, આગેવાનો, દરેક ફન્ટલ અને સેલના હોદ્દેદારો તથા સર્વ કાર્યકરોએ હાજર રહશે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News