મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અનવ્યે સમર કેમ્પનું આયોજન
મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરાશે
SHARE
મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરાશે
મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક તેમજ માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસભાઈ પરમારની સ્મૃતિને કાયમી રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ૨૮મી એપ્રિલના રોજ ‘ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરવામાં આવશે ત્યારે સાંસદ, માજી મંત્રી સહિતના આગેવાનો આ સમારોહમાં હાજર રહેશે
આગામી તા ૨૮/૪ ને શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ મહાવીર નગર પંચાસર ચોકડી ખાતે “સાંસ્કૃતિક હોલ” ના ભૂમી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ગ્રાન્ટમાંથી બનનાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે કરવામાં આવશે આ તકે શાળાના ટ્રસ્ટી ગણેશભાઈ ડાભી, લખમણભાઇ કંઝારિયા સહિતના હાજર રહશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, ઉપપ્રમુખ એન.બી. શિરવી, મંત્રી ડી.સી. મહેતા, સહમંત્રી નિશાંતભાઇ દોશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે