મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતો અને રો-મટીરીયલનો ધંધો કરતો યુવાન ગુમ


SHARE













મોરબીમાં રહેતો અને રો-મટીરીયલનો ધંધો કરતો યુવાન ગુમ

મોરબીના રવાપર રોડ ઉપર રહેતો અને મૂળ કેરાળા ગામનો વતની યુવાન મોરબીમાં રહીને રો-મટીરીયલનો ધંધો કરતો હતો અને દરમિયાનમાં તે યુવાન છેલ્લા એકાદ સપ્તાહથી ઘર કોઈને કંઇ જાણ કર્યા વગર નીકળી ગયો હોય ઘરમેળે શોધખોળ કરવામાં આવ્યા બાદ પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરાતા હાલ પોલીસે આ અંગે ગુમશુધા નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જયપાલસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના કેરાળા (હરીપર) ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ વિદ્યુતપાર્ક સોસાયટીમાં આવેલ સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ગણેશભાઈ કરમશીભાઈ દેત્રોજા જાતે પટેલ (ઉમર ૬૩) નામના આધેડે પોલીસ મથકે આવીને જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર સ્મિત ગણેશભાઈ દેત્રોજા (ઉમર ૩૪) રહે.સ્વર્ગ એપાર્ટમેન્ટ વિદ્યુતપાર્ક સોસાયટી મોરબી વાળો ગત તા.૨૦-૪ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર કયાંક નીકળી ગયેલ છે અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ પતો લાગ્યો નથી હાલ પોલીસે આ અંગે યુવાન ગુમ થયો હોવાની ગુમશુધા નોંધ દાખલ કરી છે.વધુમાં મળતી માહિતી મુજબ ગુમ થયેલ સ્મિત દેત્રોજા રો-મટીરીયલનો ધંધો કરતો હતો અને હાલ તે પોતાનો મોબાઈલ સાથે લઈને કયાંક ચાલ્યો ગયેલ છે અને તેનો મોબાઈલ હાલ સ્વીચઓફ આવતો હોય પોલીસે ગુમ થયેલા સ્મિત દેત્રોજાની શોધખોળ હાથ ધરી છે.

મશીનમાં દુપટ્ટો આવી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિનિયર સિરામિકમાં કામ દરમિયાન બાજુમાં રહેલ પંખામાં દુપટ્ટો આવી જતા ગળેફાંસો લાગી જતા ઇજાઓ પામેલ હાલતમાં સુમિત્રાબેન હર્ષદભાઈ અશોગ (ઉમર ૨૧) રહે.ભાણમેર જી.અરવલ્લી હાલ મોરબીને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના મકનસર ગામ પાસેના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા લીલાબેન વાઘજીભાઈ રાઠોડ નામના ૪૯ વર્ષના આધેડ મહિલાને તેમના ઘરે બે દિવસ પહેલા મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા સારવાર બાદ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News