મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ


SHARE













મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ

મોરબીમાં નવા બસસ્ટેન્ડનું કામ પૂરું થઈ ગયું છે તેઓ પણ તેને લોકાર્પણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી એક સપ્તાહમાં જો નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલ છે ત્યારે મોરબી જિલ્લામકડક અધિકારીને મૂકવામાં આવે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવું માંગ કરી છે તે ઉપરાંત રાજ્યના બહુચર્ચિત ડમી કાંડ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ઉલ્ટા જે કાર્યવાહી કરવામાં આવે છે તે બંધ કરીને જે લોકો ખરેખર ગુનેગાર છે તેની સામે કાયવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, રાજુભાઇ આહીર, એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, ટીનાભાઇ પટેલ, ચિરાગભાઈ રાચ્છ, બાબુભાઇ વેરાણા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા






Latest News