મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ
SHARE
મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ
મોરબીમાં નવા બસસ્ટેન્ડનું કામ પૂરું થઈ ગયું છે તેઓ પણ તેને લોકાર્પણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી એક સપ્તાહમાં જો નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલ છે ત્યારે મોરબી જિલ્લામકડક અધિકારીને મૂકવામાં આવે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવું માંગ કરી છે તે ઉપરાંત રાજ્યના બહુચર્ચિત ડમી કાંડ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ઉલ્ટા જે કાર્યવાહી કરવામાં આવે છે તે બંધ કરીને જે લોકો ખરેખર ગુનેગાર છે તેની સામે કાયવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, રાજુભાઇ આહીર, એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, ટીનાભાઇ પટેલ, ચિરાગભાઈ રાચ્છ, બાબુભાઇ વેરાણા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા