મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે
Breaking news
Morbi Today

મોરબી નવજીવન વિદ્યાલયમાં શૉયગાન, ભજન અને લોકગીત સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબી નવજીવન વિદ્યાલયમાં શૉયગાનભજન અને લોકગીત સ્પર્ધા યોજાઇ

મોરબી નવજીવન વિદ્યાલયમાં રાષ્ટ્રીય શાયર લોક સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે મોરબી અને માળિયા તાલુકા કક્ષાની શૉયગાનભજન લોકગીત સ્પર્ધા યોજાઇ ગઇ હતી. જેમાં મોરબી તાલુકામાં કુલ ૧૮ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા, જિલ્લા  શિક્ષણાધિકારી કચેરી મોરબીના એસ.જે. મેરજા, શ્રીમદ રાજચંદ્ર શાળા વિષય સંકુલ મોરબીના સંયોજક એસ.એ. જાવીયા અને શાળાના આચાર્ય અતુલભાઇ પાડલીયા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે સ્પર્ધકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં મોરબી તાલુકામાં પ્રથમ ક્રમે ગૌસ્વામી અવની પ્રકાશભાઈ (નવયુગ વિદ્યાલય)  દ્વિતીય ક્રમે વ્યાસ ધર્મીલ પરેશભાઈ (સાર્થક વિદ્યાલય) અને તૃતીય ક્રમે જોષી વૃષ્ટિ હિરેનભાઈ (નવજીવન વિદ્યાલય) વિજેતા બનેલા છે અને આ સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.






Latest News