મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં હત્યના ગુનામાં આરોપી રાયસિંહ ઉર્ફે રાજુનો જામીન પર છુટકારો


SHARE













મોરબી તાલુકાનાં હત્યના ગુનામાં આરોપી રાયસિંહ ઉર્ફે રાજુનો જામીન પર છુટકારો

મોરબી તાલુકામાં ગત ડિસેમ્બર માહિનામાં હત્યાનો બનવા બનેલ હતો જે ગુનામાં પકડાયેલા આરોપીની જમીન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જમીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે તેમના દીકરા મનોજને આરોપીઓ કોન્ટ્રાકટર કરણસીંહના મોટરસાઈકલમાં તા.૧૪/૧૨/૨૦ ના સાંજના છ થી સવા છએક વાગ્યે લઈને ગયેલ હતા ત્યારપછી કોઈપણ સમયે બોથડ પદાર્થ કે હથીયાર વડે આંતરીક ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યૂ હતું અને આરોપીઓએ પોતાના પહેરેલ કપડા સળગાવી દઈ પુરાવાનો નાશ કરી નાખેલ છે જે ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરેલ હતી. અને આરોપી રાયસિંહ ઉર્ફે રાજુ અમરસિંહ વસુનીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આ કામમાં આરોપીએ કહેવાતો ગુનો આચરેલ નથી. તેઓ આ ગુના વીશે કશુ જાણતા નથી અને આરોપીને આ ગુનામાં સાંકડી શકે તેવો લેશ માત્ર પુરાવો નથી. તેમ છતા આરોપીને સદર ગુનાના કામે ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. ત્યારે આરોપીને જામીન પર ન છોડવામાં આવે તો પ્રીટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે માટે કોર્ટ ફરમાવશે તે તમામ શરતોનું ચુસ્ત પણે પાલન કરશુ વીગેરે દલીલ કરેલ હતી અને જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રે૨ક ઓઝા, જીતેન ડી. અગેચાણીયાજે.ડી.સોલંકીસુનીલ માલકીયામોનીકાબેન ગોલતરકીશોર સુરેલા રોકાયેલા હતા.






Latest News