મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ


SHARE







માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ

મોરબી જિલ્લાના જુના ઘાટીલા ગામે માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિસાસુ અને સસરા સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે શારીરિક અને માનસિક દુઃખત્રાસ આપતા હોવાની તેમજ મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવતા જુના ઘાટીલા ગામે રહેતા જગદીશભાઈની દીકરી અંજનાબેન (30) ના લગ્ન હાલમાં ભરૂચ જિલ્લાના દહેજ ગામે સરસ્વતી સોસાયટી બી-૭ માં રહેતા ધવલભાઇ દુર્લભજીભાઈ દેથરિયા કાવર સાથે થયા હતા અને અંજનાબેન હાલમાં તેના માવતરના ઘરે છે ત્યારે તેણે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ધવલભાઈ દુર્લભજીભાઈ કાવર, સસરા દુર્લભજીભાઈ પ્રભુભાઈ કાવર અને સાસુ મુક્તાબેન દુર્લભજીભાઈ કાવર રહે. બધા હાલ સરસ્વતી ટાઉનશિપ બી-૭ દહેજવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હતા અને મારકૂટ પણ કરતાં હતા તેમજ ફરિયાદીના પતિને ચડામણી કરીને ત્રણેય જણા તેને ત્રાસ આપતા હતા જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિતના ત્રણ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતથી નુકશાન

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ એલપીજી પંપ સામે રોડ ઉપરથી રાજકોટના કાલાવા રોડ ઉપર ક્રિસ્ટલ મોલ સામેના ભાગમાં આવેલ સૌરભ રેસીડેન્સી રહેતા એડવોકેટ અજયભાઈ કાંતિલાલ જોશી જાતે બ્રાહ્મણ (૪૨) પોતાની કાર નંબર જીજે ૩ જેઆર ૨૦૦૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેની ઇનોવા કારને ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીવાય ૮૭૧૬ ના ચાલક પૂખરાજસિંહ કિશનસિંહ રહે. રાજસ્થાન વાળાએ હડફેટે લીધી હતી જેથી કરીને પાછળના દરવાજા, બમ્પર વિગેરેમાં નુકસાન થયું હોવાથી હાલમાં ભોગ બનેલા અજયભાઈ જોશી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની છે






Latest News