મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ


SHARE









માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે નોંધાવી ફરિયાદ

મોરબી જિલ્લાના જુના ઘાટીલા ગામે માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિસાસુ અને સસરા સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે શારીરિક અને માનસિક દુઃખત્રાસ આપતા હોવાની તેમજ મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવતા જુના ઘાટીલા ગામે રહેતા જગદીશભાઈની દીકરી અંજનાબેન (30) ના લગ્ન હાલમાં ભરૂચ જિલ્લાના દહેજ ગામે સરસ્વતી સોસાયટી બી-૭ માં રહેતા ધવલભાઇ દુર્લભજીભાઈ દેથરિયા કાવર સાથે થયા હતા અને અંજનાબેન હાલમાં તેના માવતરના ઘરે છે ત્યારે તેણે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ધવલભાઈ દુર્લભજીભાઈ કાવર, સસરા દુર્લભજીભાઈ પ્રભુભાઈ કાવર અને સાસુ મુક્તાબેન દુર્લભજીભાઈ કાવર રહે. બધા હાલ સરસ્વતી ટાઉનશિપ બી-૭ દહેજવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા હતા અને મારકૂટ પણ કરતાં હતા તેમજ ફરિયાદીના પતિને ચડામણી કરીને ત્રણેય જણા તેને ત્રાસ આપતા હતા જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિતના ત્રણ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતથી નુકશાન

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ એલપીજી પંપ સામે રોડ ઉપરથી રાજકોટના કાલાવા રોડ ઉપર ક્રિસ્ટલ મોલ સામેના ભાગમાં આવેલ સૌરભ રેસીડેન્સી રહેતા એડવોકેટ અજયભાઈ કાંતિલાલ જોશી જાતે બ્રાહ્મણ (૪૨) પોતાની કાર નંબર જીજે ૩ જેઆર ૨૦૦૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેની ઇનોવા કારને ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીવાય ૮૭૧૬ ના ચાલક પૂખરાજસિંહ કિશનસિંહ રહે. રાજસ્થાન વાળાએ હડફેટે લીધી હતી જેથી કરીને પાછળના દરવાજા, બમ્પર વિગેરેમાં નુકસાન થયું હોવાથી હાલમાં ભોગ બનેલા અજયભાઈ જોશી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની છે






Latest News