મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


SHARE









ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા જોગ આશ્રમ ખાતે તા. ૧/૫ ને સોમવારે ધ્યાનશંકર મુક્તિ નારાયણ જોગ બાપુની ૪૬મી સમાધી તિથી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

સૈકાઓથી જપ-તપની ધરા રહેલી અને અનેકોનેક ઈતિહાસને સાચવીને બેઠેલી આદી અનાદિ પુર્વેની ઢંકપુર નગરી જ્યાં ચોંકાવનારી ચમત્કારિક ૪૬ જોગણીની ધટના બાદ લજાઈ ગામથી ખ્યાતનામ બનેલી જગ્યાએ હાલ જોગ આશ્રમ આવેલ છે. જ્યાં પરમ પૂજ્ય અને મોરબીવાસીના શ્રદ્ધેય સંત તરીકે સ્થાન પામેલ ૧૦૦૮ ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ (જોગ બાપુ) અહી એકાદ દશકા તપસ્યા કરી સ્થાનને પાવન કરી ગયા હતાં

 

જેમની સમાધી તિથિ તા.૧/૫ ને સોમવારે જોગ આશ્રમ લજાઈ ખાતે નવનિર્માણ સમિતિ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધી કાર્યક્રમ જેવા કે, મહાત્માનું ધ્યાનધરી પુજન અર્ચન આરતી તેમજ નકલંકધામ મંડળ-બગથરા દ્વારા સંપુટ ધૂન સંપુટ રામાયણ, રામાયણ અને સુંદરકાંડ, વીરપર મંડળ દ્વારા અખંડ ધૂન અને સાંજે ૬ કલાકે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જોગબાપુ ગુરૂદેવ મોરબી મચ્છુ-૨ ડેમનુ નવ નિર્માણ કાર્ય ૧૯૬૫ મા સર્વ શરૂ થતા સેવકગણની વિનંતીથી લજાઈ આવ્યા હતા અહીં ૧૨ વર્ષ એટલે કે, ૧૯૭૭ સુધી રોકાયા અને કરૂણાનિધિ એ સમાધી સ્થાન માટે પાચાણભુમીની પસંદગી કરતા લજાઈથી એક વર્ષ થાન આશ્રમમાં રોકાયા બાદ ૧૯૭૮ માં નશ્વર દેહ ત્યાગવાનુ નક્કી કરી અહી થાનગઢ ખાતે સમાધી લીધી હતી જેને ૪૬ વર્ષ પુર્ણ થવાના છે ત્યારે આ નિર્માણ તિથી નિમિત્તે પુજ્ય ગુરુદેવના આર્શીવાદ, ધર્મલાભ તેમજ સત્સંગ અને સંપૂટ રામાયણનો લાભ લેવા નવનિર્માણ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.






Latest News