વાંકાનેર સિટી સ્ટેશન રોડે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા
મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
SHARE
મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબી તાલુકાની શ્રી વનાળિયા પ્રાથમિક શાળામાં આઠ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અભ્યાસમાં આગળ વધતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવાર વતી વિદાય તથા શુભેચ્છા સમારોહ યોજાયો હતો. ત્યારે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વચન પાઠવ્યા હતાં તથા વિદ્યાર્થીઓએ પણ પોતાની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શેરડીનો રસ આપવામાં આવ્યા હતા. તદુપરાંત મધ્યાહન ભોજન નેજા હેઠળ ચંદુભાઇ ભલાણી દ્વારા બધા વિદ્યાર્થીઓને પુરી શાકનું ભોજન જમાડવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહનું આયોજન શાળાના આચાર્ય ભારતીબેન દવે અને સમગ્ર સ્ટાફગણ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યો હતું.