મોરબીના એક્ટિવ ફાઉન્ડેશનને બે વર્ષ પૂર્ણ થતાં પ્રેરણાદાયી ઉજવણી
મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો
SHARE
મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો
ગઇકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો “મન કી બાત” કાર્યક્રમ હતો અને તેના ૧૦૦ માં એપીસોડમાં પોલીસ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામા આવી હતી અને ત્યારે મોરબી એ ડિવિઝન, સાર્થક સ્કુલ, હળવદ પોલીસ સ્ટેશન, વાંકાનેર પોલીસ લાઇન, ટંકારા આર્ય સમાજ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન પાસે શીતળા માતાજીના મંદિર પાસે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેના પરિવારજનો અને હોમગાર્ડ તેમજ જી.આર.ડી. માટે આ કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ટંકારા ખાતે મોરબી જિલ્લાના એસપી રાહયલ ત્રિપાઠી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ ઉપરાંત મોરબી સબ જેલમાં બંદીવાન ભાઈઓ માટે મન કી બાત કાર્યક્રમ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી









