મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારો-લખનઉમાં યોજાયેલ કાર્યક્રમમાં પદવી મેળવનારા શાસ્ત્રીઓનું કરાયું સન્માન
SHARE
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારો-લખનઉમાં યોજાયેલ કાર્યક્રમમાં પદવી મેળવનારા શાસ્ત્રીઓનું કરાયું સન્માન
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામધામ ટ્રસ્ટ તેમજ મોરબી જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ યુવા ગ્રુપના નવ નિયુક્ત પ્રમુખ અતુલભાઈ જોશી અને તેની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શાસ્ત્રીજી જીગ્નેશભાઈ પંડ્યા અને શાસ્ત્રી વિપુલભાઈ શુકલ કે જેઓને જ્યોતિષની સર્વોચ્ચ પદવી મહમ્હોપાદ્યાયની પદવી તાજેતરમાં લખનઉ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવી છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરમધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, ડો બી.કે.લેહરું, મનોજભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ મહેતા, આર.કે. ભટ્ટ, મુકુન્દરાય જોશી, નીરજભાઈ ભટ્ટ, કૌશિકભાઈ વ્યાસ, હાર્દિકભાઈ વ્યાસ, ધ્યાનેશભાઈ રાવલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત પરશુરામ યુવા ગ્રુપમાં નવ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં નયનભાઈ પંડ્યા, મહીધરભાઈ દવે, ઋષિભાઈ મહેતા, પ્રણવભાઈ ત્રિવેદી, વિજયભાઈ રાવલ, ધરમભાઈ રાવલ, ધ્વનિતભાઈ દવે, કમલભાઈ દવે, ભાર્ગવ દવે, યજ્ઞેશ રાવલ, દીપ પંડ્યા સહિતનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું









