મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું તેના પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો હરહમેશ મોખરે રહેતા મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની દ્રિતીય વાર્ષીક પુણ્યતીથી તા ૩/૫ ના રોજ છે ત્યારે સવારે ૮ થી લઈને ૧૧ વાગ્યા સુધી ચકલીઘર તથા પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહેન્દ્રનગર ચોકડીએ ઉમા ફર્નિચર નીચે મારુતિ ડેવલોપર્સ (અશ્વિનભાઈ ની ઓફિસ) ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે ત્યારે મહેન્દ્રનગર, પીપળી તેમજ આસપાસના તમામ લોકોને તેનો લાભ લેવા માટે કેતનભાઈ બોપલીયા (૯૯૭૯૪ ૪૨૪૩૫) અને રૉબિનભાઈ બોપલીયા (૯૬૦૭૧ ૨૨૨૨૨) દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે