કર્ણાટકના ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે ગુનો નોંધવા મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ
SHARE
કર્ણાટકના ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે ગુનો નોંધવા મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ
હાલમાં કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચુંટણીની પ્રક્રિયાઓ ચાલી રહેલ છે. તે પક્રિયામાં અને ચુંટણી પ્રચાર દરમ્યાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પક્ષની તરફે એક જુવાળ ઉભો થયેલ છે આવા સંજોગોમાં કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડે જાહેરસભામાં અને જાહેર નિવેદનથી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, તેમના પત્ની અને પરિવારને મારી નાંખવાની ધમકીઓ ઉચ્ચારેલી છે. તેઓ આ નિવેદનમાં પોતાની જાતને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કર્ણાટક રાજ્યના બીજેપીના અન્ય આગેવાન બસવરાજ બોમ્મઈના ચહિતા અને બ્લ્યુ આઈ બોય તરીકે ઓળખાણ આપેલ છે.
આ ધમકીભર્યા ભાષણોથીએ સ્પષ્ટ થઈ ગયું છે કે મલ્લિકાર્જુન ખડગે કે જેઓ દલિત પરિવારમાંથી આવે છે. અને હાલમાં તેમની લોકપ્રિયતામાં અને લોકચાહના વધતાં તેને જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવેલ છે કર્ણાટક રાજ્ય, જે ભગવાન બસવન્નાની ભૂમિ, જે સહ અસ્તિત્વની પરંપરા ઉપર ગર્વ લેતી ભૂમિ છે ત્યાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન ખરાબા કરવાની ધમકીઓ આપીને અને આખા ભારત દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરેલી છે. અને મલ્લિકાર્જુન ખડગે સામેના સ્ટેટમેન્ટથી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં, લોકોમાં, અશાંતિ ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ બગડી જશે. આથી આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધવી જરૂરી છે. અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે.
ભાજપના મણીકાંત રાઠોડની સતત બેજવાબદારીભરી ધમકીઓને કારણે ગુજરાતમાં પણ આ ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે આઈપીસીની કલમ ૧૫૩(એ), ૨૯૫(એ), ૫૦૫, ૫૦૬, ૨૯૪, ૧૨૦(બી) મુજબની ફરિયાદ રજીસ્ટ્રરડ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે મહેશભાઇ રાજ્યગુરુ, કે.ડી. પડસુંબિયા, એલ.એમ.કંઝારીયા, મુકેશભાઇ ગામી, રમેશભાઈ રબારી, રાજેશભાઈ ચૌહાણ, કે.ડી. બાવરવા, દિલીપભાઇ સરડવા, દિવ્યારાજસિંહ જાડેજા, અશ્વિનભાઈ વિડજા, લલિતભાઈ કસુન્દ્રા, ચિરાગભાઈ રાચ્છ, બાબુભાઇ વેરાણા, રાવજીભાઇ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા