મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરની આશિયાના સોસાયટીમાં માતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું


SHARE















વાંકાનેરની આશિયાના સોસાયટીમાં માતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું

વાંકાનેરમાં જીનપરામાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતી સગીરાને તેની માતાએ ઘર કામ માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે સગીરાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવેલી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરામાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા રાજુભાઈ ચારોલાની દીકરી હીનાબેન ચારોલા (૧૫) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે સગીરાના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ નારણભાઈ સુખાભાઈ લાવડીયા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક સગીરાને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેને પોતાના ઘરમાં રૂમને અંદરથી બંધ કરીને ત્યાં ગળાફસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ બનાવની નોંધ કરી વાંકાનેર સીટી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર નજીકના નવા વઘાસિયા ગામે રહેતા બહાદુરસિંહ ગાંડુભા ઝાલા (૭૦)ને હાર્ટ અટેક આવી જતા તાત્કાલિક તેને સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News