મોરબીના તુલસીપાર્કમાં રહેતા નવઘણભાઇ બાંભવાને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ
SHARE
મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ
મોરબીમાં કોંગ્રેસ દ્વારા પુસ્તક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોઈપણ પરિવારના બાળક જે ધોરણ ભણીને પાસ થઈ ગયા હોય તે જૂના પુસ્તકોને દાનમાં આપવા માટે અપીલ કરવામાં આવી છે
મોરબીમાં આ રીતે લોકોની પાસેથી વિદ્યાર્થીઓના જૂના પુસ્તકોને એકત્રિત કરીને જરૂરિયારમંદ પરિવારના બાળકોને આ પુસ્તક આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના લોકો તરફથી આ સેવકાર્યમાં સહકાર આપવામાં આવે તેઓ અનુરોધ કરવામાં આવેલ છે જે લોકોને પુસ્તકોનું દાન આપવું હોય તેને મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય કાર્યાલય દુકાન નં ૫-૬, ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી ચેમ્બર, શુભ હોટલની બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે પુસ્તકો આપી શકશે તેમજ એલ.એમ. કંઝારીયા (૯૪૨૬૨ ૨૬૧૭૫), કે.ડી. બાવરવા (૯૮૨૫૧ ૩૯૯૯૨), મહેશભાઇ રાજ્યગુરુ (૮૧૬૦૨ ૭૨૭૪૬) અને કે.ડી. પડ્સુંબિયા (૯૯૭૯૧ ૩૭૫૫૫) નો સંપર્ક કરીને તેને પણ પુસ્તક આપી શકાશે