મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં બિયરના છ ટીન સાથે શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં બિયરના છ ટીન સાથે શખ્સની ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાનમાં મોરબીના વીસીપરા વિસ્તારમાંથી નીકળેલ ઇસમને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી બીયરના છ ટીન મળી આવતા રૂપિયા ૬૦૦ ની કિંમતના બીયરના છ ટીન સાથે તે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં રણછોડનગર વિસ્તારમાં રહેતા દાઉદ ઈબ્રાહીમ જામ જાતે મિંયાણા (ઉંમર ૨૬) નામનો ઈસમ વીસીપરામાં આવેલ ગુલાબનગર મેઇન રોડ ઉપરથી નીકળ્યો હતો તે દરમિયાનમાં રાત્રિના અગિયારેક વાગ્યે તેને અટકાવીને તેની અંગ જડતી લેવામાં આવતા તેની પાસેથી બીયરના છ ટીન મળી આવ્યા હતા.જેથી હાલ રૂા.૬૦૦ ની કિંમતના બિયરના છ ટીન સાથે તેની ધરપકડ કરીને તેણે આ જથ્થો કોની પાસેથી મેળવ્યો છે..? તે દિશામાં આગળની તપાસ માટે આગળની તપાસ બીટ વિસ્તારમાં જમાદાર વશરામભાઈ મેતાને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી ગામ નજીક આવેલ સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતા જેકીભાઈ દુર્ગેશભાઈ સુખદેવના પત્ની ભાવનાબેન (ઉંમર ૨૯) તેઓના ઘેર વધુ પડતા ઘેનના ટીકડા ખાઈ ગયા હોય ભાવનાબેનને સારવાર માટે મંગલમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયાએ તપાસ હાથ ધરતા તેઓએ નિવેદનમાં જણાવ્યું હતુ કે તેમને શરદી હોય અને વધુ પડતું માથું દુખતું હોવાના કારણે તેમણે વધુ પડતા ઘેનના ટીકડા ખાઈ લીધા હોવાથી તેમને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રાજીવ પેપર મીલમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો સાર્થક હરિસિંહ આદિવાસી નામના બે વર્ષના બાળકને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પેપર મીલમાં કોઈ ઝેરી જંતુ કરડી જતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ નેહલબેન ખડિયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News