હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી સહિત રાજ્યમાં પ્રધાનમંત્રીના હસ્તે ૧૨,૦૦૦ આવાસનું થશે ઇ-લોકાર્પણ


SHARE













મોરબી સહિત રાજ્યમાં પ્રધાનમંત્રીના હસ્તે ૧૨,૦૦૦ આવાસનું થશે ઇ-લોકાર્પણ

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા જર્જરીત મકાનમાં રહેતા પરીવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાન મંત્રી આવાસ યોજનાનો ઉદેશ છે. ગરીબ માણસને રહેવા માટે પોતાની માલિકીનું ઘર મળી શકે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને મોરબી સહિત રાજ્યમાં ૧૨,૦૦૦ લાભાર્થીઓને મકાનનું તેઓના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે

કેવી રીતે ચૂકવાય હપ્તા
લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ બ્લોક લેવલે પ્રથમ હપ્તામાં ૩૦,૦૦૦  ઓનલાઈન જમા કરવામાં આવે છે લીનટેલ લેવલે ૮૦,૦૦૦ તેમજ આવાસ પૂર્ણ થયે ૧૦,૦૦૦  આમ કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય લાભાર્થીઓને અપાય છે. આ સિવાય શૌચાલયના ૧૨,૦૦૦  તેમજ ન્હાવાના બાથરૂમ બનાવવા માટે પીએમએવાય યોજના હેઠળ ૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે અને જો લાભાર્થીઓને  પ્રથમ હપ્તો આપ્યાની તારીખથી છ માસમાં જ આવાસ પૂર્ણ થઈ જાય તો મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજનામાંથી ૨૦,૦૦૦ ની આપવામાં આવે છે તેમજ મનરેગા યોજના હેઠળ કામ, ઉજ્જવલા યોજના અંતર્ગત મફત સિલિન્ડર, રાશનકાર્ડ, ઉજાલા, સ્વચ્છ ભારત મિશન, નલ સે જલ વગેરેનો લાભાર્થીઓના પરિવારને લાભ આપવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર ખાતેથી ૧૨ મે ના રોજ ૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવસોનું લોકાર્પણ, ખાતમુહર્ત અને ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજવાનો છે. જેમાં ગુજરાત રાજ્યના શહેરોમાં ૭,૧૧૩ અને ગામડાઓમાં ૧૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ થનાર છે જેમાં મોરબી જિલ્લાના ૩૫ આવસોનું લોકાર્પણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં કુલ ૧૪૩૬ લાભાર્થીઓના આવાસનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે.

પાકું આવાસ મળ્યું
વાંકાનેરના વિનયગઢ ગામે રહેતા દેવશીભાઈ રાઠોડ જણાવે છે કે આવાસનો લાભ મળ્યા પહેલા અમારું રહેણાંક ગારમાટીનું કાચું નળિયાવાળું તેમજ ભયજનક સ્થિતિમાં હતું. જેથી ગમે ત્યારે જાનહાની થવાની ચિંતા રહેતી હતી. શિયાળા, ઉનાળા અને ચોમાસામાં હેરાન થતાં હતા ત્યારે અમને આવાસ યોજનાનો લાભ મળવાથી બારે માસ ઋતુ સામે રક્ષણ મળી ગયું છે. અને પાકું આવાસ બની જવાથી સમાજમાં સન્માનજનક સ્થિતિમાં અમો જીવી શકીએ છીએ.

અગરીયા માટે આશીર્વાદ
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોનાં 'ઘરનું ઘર' સપનું સાકાર થયું છે. ત્યારે અગરિયામાં મજુરી કરતાં બગસરા ગામના લાભાર્થીના પત્ની પ્રભાબેન મનજીભાઈ વાઘેલા જણાવે છે કે, " અમે પહેલાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા, જ્યાં રહેવાની પૂરતી સગવડ ન હતી તેમજ છોકરાઓનાં અભ્યાસમાં પણ મુશ્કેલીઓ થતી હતી. ચોમાસામાં પાણી પડવાથી વસ્તુઓ ખરાબ થતી હતી અને ઉનાળામાં ગરમીને સહન કરવી પડતી હતી. હવે સરકારની આ આવાસ યોજનાથી અમારે પાકા મકાન થયા છે






Latest News