મોરબીના ઓમનગર (નવા ખારચીયા) ખાતે રવિવારે બોપલિયા પરિવાર દ્વારા બહુચર માતા મંદિરે પાટોત્સવ
મોરબીના અકસ્માતના ગુન્હામા પાંચ વર્ષે આરોપી ઝડપાયો
SHARE
મોરબીના અકસ્માતના ગુન્હામા પાંચ વર્ષે આરોપી ઝડપાયો
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચન મુજબ ટિમ કામ કરી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. જિજ્ઞાસાબેન કણસાગરા, જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા વર્ષ ૨૦૧૮ માં અકસ્માતનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં નાસતો ફરતો આરોપી યોગેન્દ્રસિંહ લાલબહાદુરસિંહ નાગવંશી જાતે રાજપુત (૩૮) રહે. મૂળ રામપુર તાલુકો ચંદૌલી (યુ.પી.) હાલે,રહે ઉમરગામ દેવધામ વીસ્તાર ગુપ્તાની ચાલીમા તાલુકો ઉમરગામ જીલ્લો વલસાડ વાળાની ધરપકડ કરીને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.