મોરબી જીલ્લામાં શનિવારે લોક અદાલતનું આયોજન કરાયું
SHARE
મોરબી જીલ્લામાં શનિવારે લોક અદાલતનું આયોજન કરાયું
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મોરબી જીલ્લા ન્યાયાલય હેઠળ આવતા તાલુકા એટ્લે કે વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા ખાતે તા. ૧૩ ને શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે
લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિંદુ લગ્નધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ-ચલણને લગતા પ્રી-લીટીગેશનના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના, વીજળી તથા પાણીના (ચોરી સિવાય) ના કેસો સમાધાન માટે મૂકી શકાશે તેમજ સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક ઈ-ચલણને લગતા કેસોના લોક અદાલતમાં રાખવામાં આવેલ છે જેથી તા. ૧૩ પૂર્વે ઈ ચલણના મેમાનો દંડના નાણા એસપી કચેરી મોરબી ખાતે ટ્રાફિક શાખાના રૂમ નં ૧૧ માં અને શનાળા ચોકી, શનાળા રોડ મોરબી ખાતે અથવા ઓનલાઈન ભરી દેવા જણાવ્યું છે