મોરબીના લખધિરપુર રોડે રીક્ષા પલ્ટી જતાં બે બાળકો સહિત પાંચને ઇજા
SHARE
મોરબીના લખધિરપુર રોડે રીક્ષા પલ્ટી જતાં બે બાળકો સહિત પાંચને ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક સામે રોડ ઉપરથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાની આડે કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા અથડાઇ હતી અને ત્યાર બાદ રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલા મૂળ મધ્યપ્રદેશના બે બાળકો સહિત પાંચ વ્યક્તિઓને ઇજા થયેલ હોવાથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર આપ્યા બાદ આ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે