મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક કારખાનામાંથી ઘુંટુની સગીરાનુ અપહરણ


SHARE







મોરબીના પીપળી નજીક કારખાનામાંથી ઘુંટુની સગીરાનુ અપહરણ

મોરબીના ઘુંટુ ગામના પરિવારની સગીરવયની દિકરી કામકાજ માટે પીપળી ગામ પાસે આવેલ કારખાનામાં જતી હોય ત્યાંથી તેણીનું અપહરણ કરવામાં આવતા હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામના રહેવાસી પરિવારની સગીરવયની દીકરી કામકાજ માટે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ નજીકના એક કારખાનામાં કામે જતી હોય ત્યાંથી ગત તા.૭-૫ ના બારેક વાગ્યાના અરસામાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મના ઇરાદે તેણીનું અપહરણ કરવામાં આવ્યું છે.હાલ ભોગ બનેલ સગીરાની માતાની ઉપરોક્ત ફરિયાદ આધારે તાલુકા પીઆઇ કે.એ.વાળા દ્વારા અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઇ રૂદાતલા જાતે કોળી રહે.આનંદ એપાર્ટમેન્ટ પાસે મહેન્દ્રનગર તા.જી.મોરબી સામે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ તેમજ દુષ્કર્મ અને પોકસો એકટની કલમો હેઠળ અલ્પેશ કોળી સામે ગુનો નોંધીને ભોગ બનેલી સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તાલુકા પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

દવા પી જતા સારવારમાં

મોરબીનો રહેવાસી શુભમ રવજીભાઈ રાઠોડ નામનો ૨૧ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર કોઈ દવા પી ગયો હતો જેથી તેને અસર થતા અહિંની ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા હાલ હોસ્પિટલ દ્વારા એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

મારામારીના બનાવમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા કિશોરભાઇ મુળજીભાઈ સારેસા નામના ૫૪ વર્ષના આધેડને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પહોંચીને તપાસ હાથ ધરતા સામે આવ્યુ હતુ કે રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ખાડા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં કિશોરભાઈ સારેસાને ઇજા પહોંચી હતી જેથી ખાનગી હોસ્પિટલે સારવાર લીધા બાદ અત્રેની સિવિલે હાલ સારવાર માટે લાવવામાં આવેલા છે.






Latest News