મોરબીમાં વૃદ્ધ પાસેથી જેલમાં બેઠા બે લાખની ખંડણી માંગનાર ડાડો જેડાની ધરપકડ
હળવદના જુનાદેવળીયા ગામે ભોરણિયા પરિવાર દ્વારા સિંધોઇ માતાજીના મંદિરે ૧૬ મો પાટોત્સવ યોજાશે
SHARE
હળવદના જુનાદેવળીયા ગામે ભોરણિયા પરિવાર દ્વારા સિંધોઇ માતાજીના મંદિરે ૧૬ મો પાટોત્સવ યોજાશે
હળવદના જુનાદેવળીયા ગામે ભોરણિયા પરિવાર દ્વારા સિંધોઇ માતાજીનો ૧૬ મો પાટોત્સવ તથા નવરંગો માંડવો યોજાશે. તેની સાથોસાથ યુવાનો દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે.
આગામી તા. ૧૭/૫ ને બુધવારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સિંધોઇ માતાજીનો ૧૬ મો પાટોત્સવ તથા માતાજીનો નવરંગો માંડવો ભોરણિયા પરિવાર દ્રારા યોજાશે. જેમાં ભોરણિયા પરિવારના હજારોની સંખ્યામાં માં ભક્તો લાભ લેશે. આ પાટોત્સવ નિમિતે ભોરણિયા પરિવારના યુવાનો દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે. અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકઠું થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. અને બ્લડ કેમ્પનું આયોજન સંસ્કાર બ્લડ બેન્ક, મોરબી દ્વારા કરવામાં આવ્યું છે.